Abtak Media Google News

મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે. આજે 7 કમર્ચારીઓ નિવૃત થતા કમિશનરે મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે.

26Ac199C Af8F 43Ac 9F2B Ebf8B3633315 53Ca3E00 Cac5 400E 999F B0D6C4Cac78A 555Ef9De 5D9C 48Be A31D 59A4E9C9E00E 890Ef485 6F15 43D1 9C6C 082E50B75A0E 95049F51 582D 4Bee 9B5F F785D19Dd147

આજે અમીતકુમાર ચોલેરા, પરમાર કૈલાશભાઈ હિમતભાઇ, કટારીયા શાંતુબેન બીજલભાઈ, અઢીયા પ્રતાપ જે., પંડ્યા દીપક કેશવલાલ, વાઘેલા લીલાબેન અને સરવૈયા ભીખુ મોહન વિગેરે નિવૃત થયા છે.
નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી
અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.