Abtak Media Google News

 આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ..પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. શહેરમાં છેલ્લા 150 વર્ષથી પરંપરા ચાલી આવે છે.વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ ખાસડા મારવામાં આવે છે.જેને વિસનગરના લોકૌ ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે.અને કહેવાય છે કે, ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.જો કે,હવે સમય જતાં ઉજવણીમાં ખાસડાનું સ્થાન રિંગણા બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઇ લીધુ છે.અલબત આજે પણ શહેરના લોકોએ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે.

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે  ૧પ૦ વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જોકે, હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે.વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે.

યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.  જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતનાં શાકભાજીએ લીધું છે.ધૂળેટીના દિવસે ૧૫૦ વર્ષથી વિસનગરવાસીઓએ પરંપરાને સાચવી રાખી છે..જો કે,હવે ખાસડાને બદલે શાકભાજીનો મારો ચલાવીને ઉજવણી થાય છે.

આમ તો કોઇને શાકભાજી કે ખાસડુ છુટ્ટુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય..પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે.લોકે હોશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે.. પણ એક અનોખી પરંપરા છે.

કિશોર ગુપ્તા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.