Abtak Media Google News

IIT બોમ્બેના 56માં દીક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મુંબઈ પહોંચ્યા. એરપોર્ટ પર રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું. IIT-બોમ્બેમાં અભ્યાસ પૂર્ણ કરેલાં વિદ્યાર્થીઓને મોદી ડિગ્રી એનાયત કરશે અને તેને સંબોધિત પણ કરશે.

Advertisement

સમારંભ પછી વડાપ્રધાન IIT-બોમ્બેમાં ઉર્જા ભવન અને સેન્ટર ફોર એનવાયરમેન્ટ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનું ઉદ્ઘાટન કરશે. 1958માં સ્થાપિત IIT બોમ્બે આ વર્ષે ડાયમંડ જ્યુબિલી મનાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.