Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ત્રણ બત્તી તરફ જવાના માર્ગે જાહેર માર્ગ પર કેટલાક ઝુપડાવાળાઓ દ્વારા દબાણ કરી ન્યુસન્સ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  સ્થળ પર હાજર રહ્યા પછી ડીમોલિશન શરૂ કરાવી  સમગ્ર માર્ગને ખુલ્લો કરાવ્યો  છે.

Advertisement

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા દ્વારા  જુના રેલ્વે સ્ટેશનથી ત્રણબત્તી તરફ જવાનો માર્ગ ખુલ્લો કરાવવા માટે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની મદદ લીધી હતી  અને દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા તથા સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળીની આગેવાની હેઠળની ટુકડીની મદદ લઇ રેલવે સ્ટેશનની જમીનની અડીને જાહેર માર્ગ પર ખડકી દેવામાં આવેલા ઝુપડા સહિત દબાણોને દૂર કરી લેવાયા હતા.

JCBની મદદથી સમગ્ર રસ્તો સાફ કરીને લોકોની અવર-જવર માટે ખુલ્લો કરી દેવાયો હતો. આથી ભારે દોડધામ થઈ હતી. ઝુપડા વાળાઓ દ્વારા પોતાનો માલ સામાન લઈને નાસભાગ કરી હતી. આ સ્થળે રેલવેની પણ કેટલીક જગ્યા આવેલી છે, જે રેલવેની માલિકીની જગ્યામાં પણ દબાણ થયું હોવાથી રેલ્વે તંત્રને જાણ કરાઇ છે, અને રેલ્વે પોલીસને બોલાવીને તે સ્થળ પણ ખાલી કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.

 સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.