Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈ પહોંચ્યા છે.કટોકટી વિરુદ્ધ જે લોકો લડ્યા હતા, તેમના પ્રત્યે આભાર પ્રગટ કરવા માટે મોદી મુંબઈ આવ્યા છે.ન્યુ મરીન્સ લાઇન્સમાં આવેલા બિરલા માતોશ્રી સભાગૃહમાં તેના માટે બીજેપી, મુંબઈએ એક કાર્યક્રમ આયોજિત કર્યો છે. તેને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે.

સવારે 10 વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમને ‘1975 કટોકટી: લોકતંત્રની અનિવાર્યતા-વિકાસમંત્ર-લોકતંત્ર’ નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના બીજેપીના અધ્યક્ષ રાવસાહેબ દાનવે, મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલાર તેમજ અન્ય લોકો સામેલ થશે. મોદી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (એઆઇઆઇબી)ની ત્રીજી એન્યુઅલ મીટિંગનું પણ ઉદ્ઘાટન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.