Abtak Media Google News

બે માસથી સિવીલ પાસે પડયા રહેતા દંપતિ અને તેના બાળકને તાત્કાલીક ટ્રેન મારફતે વતન મોકલ્યા

કોરોનાની મહામારીમાં લોકડાઉનને પગલે લાખો શ્રમિકો કોઇને કોઇ સ્થળોએ ફસાયેલા છે. પરિવારથી છૂર શ્રમિકો હવે વતન જવા ઉતાવળા બન્યા છે ત્યારે સરકાર દ્વારા શ્રમિકોને વતન પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Img 20200512 Wa0027

છેલ્લા બે માસથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે રોડ ઉપર રહેતા શ્રમિક દંપતિએ પણ વતન જવાની ઇચ્છા વ્યકત કરતા સંજોવસાત આજે જ રતલામની ટ્રેન શ્રમિકોને લઇ ઉપડવા હોઇ પ્રાંત-રના અધિકારી ગોહિલને જાણ કરાતા તે બાબતની ખરાઇ કરી સ્થળ પર જ મેડીકલ ચેકઅપ કરાવી શ્રમિક દંપતિને વતન રવાના કર્યા હતા. પ્રાંત અધિકારી ગોહિલના તાત્કાલીક માનવીય નિર્ણયથી વતનની વાટે જતા શ્રમિક દંપતિની આંખોમાં હર્ષના આસુ આવ્યા હતા. પ્રાંત અધિકારીનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.