Abtak Media Google News

ચાર આરોપીઓને દબોચી લેવાયા: રૂ.૩.૨૭ લાખનો મુદામાલ જપ્ત

દામનગર શહેર માં બજરંગનગર ના રહીશોએ  ભેદી હિલચાલ કરતા બોલેરો મેક્સ વાન જોયું અને સ્થાનિક પોલીસ ને જાણ કરતા સ્થાનિક પોલીસ આઠ નાળા પાસે આવેલ સુરેશભાઈ જીણાભાઈ નરોળિયા જાતે રાજપૂત ના ધર પાસે થી એક બોલેરો ને અટકાવી ચાલક ને પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શકેલ નહિ બોલેરો મેક્સ પર ઢાંકેલ તાડપત્રી હટાવતા ૨૯ નાના ઘેટાં બકરા ક્રૂરતા પૂર્વક ભર્યા જણાયેલ આથી બજરંગનગર રહીશો ની બાતમી આધારે સ્થાનિક પોલીસ ના એ.એસ .આઈ .એ. યુ.  ચૌધરી એ બોલેરા કબજે લઈ  ૧ .બહાદુરભાઈ નાથાભાઈ ચાવડા રે જેતપુર નવાગામ જી રાજકોટ ૨.હરેશભાઇ બાબુભાઇ ચાવડા રે દામનગર તા લાઠી જી અમરેલી  ૩. દિપકભાઈ વિષ્ણુભાઈ ચૌહાણ રે લીલીયા જી અમરેલી ૪. ભુપતભાઈ વેલજીભાઈ ચાવડા ચારેય આરોપી ઓ વિરુદ્ધ આઈ. પી.સી એકટ ક.૨૭૯.૧૧૪.પ્રાણીસંરક્ષણ અધિનિયમ પી એ.એ. ક ૮ પશુક્રૂરતા અધિનિયમ ૧૧/૧એ .ડી.ઇ.એફ.એસ.હેઠળ ગુનો નોંધી ઘેટાં બકરા નંગ ૨૯ કી.૧.૭૭.૦૦૦ અને બોલેરો મેક્સ  જી.જે.૧૩- એ.ટી.૫૯૧૯ સફેદ કલર કી.૧.૫૦.૦૦૦ કુલ મળી ૩.૨૭.૦૦૦ નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બજરંગનગર ના રહીશો દ્વારા ચાલતા રાત્રી સેવાદળ દરમ્યાન ભેદી હિલચાલ જણાય આવતા સ્થાનિક ભુપતભાઈ હીરાભાઈ જાડા વેલજીભાઈ શામજીભાઈ નારોલા હરેશભાઇ વલ્લભભાઈ નારોલા ભુપતભાઇ બધુંભાઈ નારોલા  સહિત ના એ સ્થાનિક પોલીસ ને ચોક્કસ બાતમી આપી બજરંગનગર માં અવાર નવાર નાના વાછરડા ઓ ગાયબ થવા ની ઘટના અવાર નવાર બનતી હતી આ અંગે સ્થાનિક રહીશો એ સતર્ક બની સ્થાનિક પોલીસ ને જાણ કરતા ગેરકાદેસર પશુ ઓ ને કતલખાને ધકેલવા ના રેક્ટ નો પર્દાફાશ થયો હતો

જે મકાન માં ઘેટાં બકરા રાખવા માં આવ્યા તે સ્થાનિક અગ્રણી નું છે ત્યાં આટલી મોટી સંખ્યા માં ઘેટાં બકરા કેમ રાખ્યા હતા ? આ ઘેટાં બકરા ક્યાં થી લવાયા ? આ ઘેટાં બકરા ક્યાં કોને મોકલવા ના હતા ? આવા અનેકો સવાલો નો જવાબ દામનગર ની જનતા ને મળશે ?

દામનગર શહેર માં પશુ ઓ ને કતલખાને મોકલવા ના રેકેટ  પર્દાફાશ કરતી દામનગર પોલીસ અને બજરંગનગર રહીશો કતલખાને જતા અબોલ ૨૯ જીવો ને દહીંથરા અલખઘણી ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં આશરો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.