Abtak Media Google News

દંપતીએ વૃધ્ધત્વથી કંટાળી જીવન ટુકાવી લીધાનું ખૂલ્યું: પરિવારમાં શોક

કોઠારીયા રોડ પર આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં વૃધ્ધ દંપતિએ વૃધ્ધત્વથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લેતા વૃધ્ધ દંપતીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર મળે તે પહેલા જ વૃધ્ધાનું મોત નિપજયું હતુ ત્યારબાદ સારવારમાં રહેલા વૃધ્ધે દમ તોહતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા વિહાભાઈ કેશાભાઈ પરમાર ઉ.૭૨ અને તેમના પત્ની જીવુબેન વિહાભાઈ પરમાર ઉ.૭૦ એ વૃધ્ધત્વથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. જેમાં જીવુબેનને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતુ જયારે વિહાભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કાળોકલ્પાંત સર્જાયો હતો. મૃતક દંપતીને સંતાનમાં એક પુત્ર અને પુત્રીઓ છે વૃધ્ધ દંપતી સંતાનોથી અલગ રહેતા હોવાનું અને વૃધ્ધા આંખે ઓછુ દેખતા હતા અને વૃધ્ધ શારીરીક અશકત હોવાથી આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.