Abtak Media Google News

શાદી ડોટ કોમના માઘ્યમથી પરિચયમાં આવ્યા તા: યુવતિના બીજા અને યુવકના ત્રીજા લગ્ન કર્યા

રાજકોટમાં રહેતી અને એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતી યુવતી સાથે પોતાના અગાઉના બે લગ્ન છુપાવી લગ્ન કર્યા બાદ તેની પાસેથી રૂા.2.41 લાખ લઈ તે ઓળવી ગયાની ગીર સોમનાથ જિલ્લાના નિકુંજ ભરત ચાંડેગરા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોધતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે તે ત્રણ વર્ષથી વકીલ તરીકે પ્રેકટીસ કરે છે. 2019 માં તેના લગ્ન થયા બાદ એકાદ વર્ષમાં છુટાછેડા થઈ ગયા હતા. ગઈ તા.23 નવેમ્બરના રોજ જીવન સાથી ડોટ કોમ નામની એપ મારફત નિકુંજ સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંનેએ ચેટીંગ શરૂ કર્યું હતું.અને રૂબરૂ મુલાકાત બાદ લગ્નની વાત કરી હતી. નિકુંજે તેને કહ્યું કે તે ગવર્મેન્ટ કોન્ટ્રાકટર તરીકે લેબર સપ્લાયરનું કામ કરે છે.તે વખતે બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. અને થોડા દિવસ બાદ નિકુંજે તેને રાજકોટની સબ રાજીસ્ટ્રાર કચેરી ખાતે બોલાવી હતી. પરંતુ કચેરી બંધ થઈ ગઈ હતી.

જેથી બીજા દિવસે ભવનાથ તળેટીમાં આવેલા માતાજીના મંદિરે ભગવાનની સાક્ષીએ લગ્ન કરી દીધા હતા. અને બાદમાં બંને ટ્રેનમાં રાજકોટ આવી ગયા હતા.રસ્તામાં નિકુંજે તેને પોતાનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયાનું જણાવતા તેને રૂા.10 હજાર ઓનલાઈન ટ્રાન્સફર મારફત આપ્યા હતા. જુનાગઢમાં પણ તેણે ખર્ચ કર્યો હતો. રાજકોટ પહોંચી બંને તેના ઘરે પહોંચ્યા હતા. ત્યારે માતા-પિતાએ લગ્ન માન્ય નથી તેમ કહી દેતા પોતાની વકીલાતની 2 ઓફિસે ગયા હતા. આ પછી નિકુંજ બસ સ્ટેન્ડ પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો.

જયાં તેનો મિત્ર ગૌરવ મિરાણી પણ હતો. હોટલમાં રોકાયા બાદ બંને નાગપુર જતા રહ્યા હતા.આ દરમ્યાન તે માતાના સંપર્કમાં હતી. જયારે નિકુંજને નાગપુરમાં કામ હોવાથી એકલી રાજકોટ આવી ગઈ હતી. થોડા દિવસ બાદ નિકુંજ પણ આવી જતા બંને સ્વામિનારાયણ ચોક પાસે એક એપાર્ટમેન્ટના ફલેટમાં ભાડે રહેવા લાગ્યા હતા.એક દિવસ નિકુંજે નાગપુર સાળાના લગ્નમાં જઈ રહ્યાનું કહી વધુમાં ઘટસ્ફોટ કર્યો કે તેના અગાઉ લગ્ન થઈ ગયા છે. સંતાનમાં એક પુત્રી પણ છે.

નાગપુરમાં તે પોતાની પુત્રીને પણ મળવા જાય છે તેમ કહી નાગપુર જતો રહ્યો હતો.અને ફરિયાદી પાસેથીકટકે કટકે તેણે રૂા.2.41 લાખ લીધા હતા અને નિકુંજે તેનાથી પહેલા લગ્નની વાત છુંપાવી પૈસા ઓળવી જવાના બહાને તેની સાથે બીજા લગ્ન કર્યા હતા. જેથી તેના વિરૂધ્ધ અરજી આપ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.પીએસઆઈ બી.આર.ભરવાડે આરોપી નિકુંજની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે એવી કબુલાત આપી કે 2019 માં તેણે નાગપુરની મિનલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા જેના થકી પુત્રીની પ્રાપ્તી થઈ હતી જે હાલ નાગપુર રહે છે. મિનલ સાથે છુટાછેડા લીધા બાદ 2019 માં રાજકોટની ક્રિષ્ના નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા તેની સાથે પણ છુટાછેડા બાદ હવે ત્રીજા લગ્ન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.