Abtak Media Google News

મજુરો હનુમાન જયંતિની રજા રાખવાના હોય યાર્ડના સત્તાધીશો દ્વારા રજા જાહેર

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલે હનુમાન જયંતિ નીમીતે રજા રહેશે. મજુરો દ્વારા રજા રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

સામાન્ય રીતે હનુમાન જયંતિએ જાહેર રજા હોતી નથી સરકારી કચેરીઓ પણ ચાલુ જ રહે છે. દરમિયાન રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કામ કરતા મજુરો દ્વારા આવતીકાલે ગુરુવારે હનુમાન જયંતિના પાવન પર્વ નિમિતે રજા રાખવાનો નિર્ણય લીધો હોય યાર્ડના સત્તાધીશો દ્વારા આવતીકાલે માકેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ખેડુતોએ આવતીકાલે માલ ન લાવવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.