Abtak Media Google News
  • લોન પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ ધ્યાનમાં આવ્યા પછી રિઝર્વ બેંકની કડક કાર્યવાહી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જે.એમ. ફાયનાન્સિયલ પ્રોડક્ટ્સ લિમિટેડને શેર અને ડિબેન્ચર સામે લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે શેરના આઈપીઓ સામે લોનની મંજૂરી અને વિતરણ ઉપર પણ રોક લગાવી છે.

નિર્ણયની જાહેરાત કરતી વખતે, આરબીઆઈએ કહ્યું કે નાણાકીય સેવાની લોન પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ ધ્યાનમાં લીધા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આઇપીઓ ફાઇનાન્સિંગ તેમજ એનસીડી સબસ્ક્રિપ્શન માટે કંપની દ્વારા મંજૂર કરવામાં આવેલી લોનના સંદર્ભમાં જોવા મળેલી કેટલીક ગંભીર ખામીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી જરૂરી બની ગઈ છે, આરબીઆઇએ જણાવ્યું હતું.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલી માહિતીના આધારે બેંકિંગ રેગ્યુલેટરે કંપનીના પુસ્તકોની મર્યાદિત સમીક્ષા કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ આરબીઆઈએ જણાવ્યું હતું. સમીક્ષા દરમિયાન, તે પણ બહાર આવ્યું છે કે કંપનીએ તેના ગ્રાહકોના જૂથને ઉધાર ભંડોળનો ઉપયોગ કરીને વિવિધ આઇપીઓ અને એનસીડી ઓફરિંગ માટે બિડ કરવામાં વારંવાર મદદ કરી હતી. આરબીઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે ક્રેડિટ અંડરરાઈટિંગમાં ખામી હોવાનું જણાયું હતું અને ધિરાણ નજીવા માર્જિન પર કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે મેમ્બરશિપ, ડીમેટ એકાઉન્ટ્સ અને બેંક એકાઉન્ટ્સ માટેની અરજીઓ કંપની દ્વારા પાવર ઓફ એટર્ની અને આ ગ્રાહકો પાસેથી મેળવેલા માસ્ટર એગ્રીમેન્ટનો ઉપયોગ કરીને સંચાલિત કરવામાં આવી હતી. વધુમાં, કંપનીએ પીઓએનો ઉપયોગ કરીને બેંક ખાતાઓ ખોલ્યા તેમજ તે બેંક ખાતાઓના ઓપરેટર તરીકે કામ કર્યું.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, હવે લાદવામાં આવેલા વ્યાપાર પ્રતિબંધોની સમીક્ષા આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવનાર વિશેષ ઓડિટ પૂર્ણ થયા બાદ અને આરબીઆઈના સંતોષ માટે ખામીઓને સુધાર્યા પછી કરવામાં આવશે.  સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે કંપની સામાન્ય સંગ્રહ અને વસૂલાત પ્રક્રિયા દ્વારા તેના વર્તમાન લોન ખાતાઓની સેવા ચાલુ રાખી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.