Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના કિસાન ચોક હાલારી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ જય હિંગળાજ પદયાત્રી સંઘના નેજા હેઠળ જામનગર થી કચ્છ માતાનામઢ માટેની પદયાત્રા નીકળે છે, જેનો આજે પ્રારંભ કરાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં હાલારી ભાનુશાળી સમાજના ભાઈઓ-બહેના જોડાયા હતા, અને પદયાત્રીઓને રવાના કરાયા હતા.

Advertisement

Whatsapp Image 2023 10 03 At 11.59.56 757Ae881

આ વેળાએ જામનગર શહેર ભાજપ ના અગ્રણી અને આ નગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, આ ઉપરાંત હાલારી ભાનુશાળી સમાજના અનેક અગ્રણીઓ જોડાયા હતા, અને પદયાત્રી સંઘ ને રવાના કરાયો હતો.

Whatsapp Image 2023 10 03 At 11.59.57 66A0Aced

જામનગરના મહિલા પદયાત્રીએ આંખે પાટા બાંધીને માતાને મઢ જવાની માનતા

જામનગરના હાલારી ભાનુશાળી સમાજ દ્વારા આજે પદયાત્રા નીકળી હતી, અને જામનગર થી કચ્છ માતાના મઢ તરફ સંઘ રવાના થયો છે. જેમાં જામનગરના ખુશીબેન નિખિલભાઇ કનખરા કે જેઓએ આંખે પાટા બાંધીને માતાના મઢે જવાની માનતા રાખી છે, જે અનુસાર તેઓ આજે પોતાની આંખે પાટા બાંધીને અન્ય પદયાત્રીઓ ની સાથે જોડાયા હતા, અને પદયાત્રા કરી છે. તેઓને પણ આજે ઉમળકા ભેર આવકાર મળ્યો હતો.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.