Abtak Media Google News

વરિષ્ઠ પત્રકાર કે.જે. સિંહ અને તેમના ૯૨  વર્ષીય માતા ગુરુચરન કૌર તેમના મોહાલી સ્થિત ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે ૧ વાગે આ વાતની જાણકારી મળી જ્યારે તેમનો ભત્રીજો ભોજન આપવા માટે પહોંચ્યો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તેમની હત્યા થઇ હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. પત્રકાર કે. જે. સિંહ અંગ્રજી ન્યુઝપેપર ઇન્ડિયન એક્સપ્રેસના ભૂતપૂર્વ સમાચાર સંપાદક હતા.

તાજેતરમાં પત્રકારો પર હુમલાઓ થવાની અને અને તેમની હત્યાની ઘટનાઓ વધી ગઇ છે. આ પહેલા કન્નડ ભાષાની પત્રકાર ગૌરી લંકેશની બેંગલુરુમાં હત્યા થઇ હતી. ત્યારબાદ ત્રિપુરામાં શાંતનુ ભૌમિકની રિપોર્ટિંગ દરમિયાન અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.