Abtak Media Google News

સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવા 3 દિવસમાં સોગંદનામુ આપવું પડશે: સુપ્રિમ

દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1860માં બ્રિટીશ ગર્વમેન્ટ દ્વારા બનાવયેલા કાયદા પ્રમાણે કાર્યવાહી થઇ રહી છે. જે જેમાં પ્રવર્તમાન સમય મુજબ જરૂરી ફેરફારો થયા છે. પરંતુ આઇ.પી.સી. ની કલમ 124 કે જેનો દેશ દ્રોહનો ગુનો કર્યો હોય તેને લાગુ કરવામાં આવે છે.

Advertisement

આ પ્રકારના ગુના અંગ્રેજ શાસન દરમિયાન ભારતને સ્વતંત્રતાની ચળવળનો દાબી દેવા માટે ઉપયોગ કરાતો હતો પરંતુ, હાલના સંજોગોમાં અ પ્રકારના ગુનો બનતા ન હોવાને કારણે આઇ.પી.સી. કલમ 124 રદ કરવાની સુપ્રિમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલી સુનવણીને પ મે પહેલા પુરી કરવા તાકીદ કરવામાં આવી છે પરંતુ, રાષ્ટ્ર દ્રોહની કલમનો ઉપયોગ સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષના અવાજને ડામી લેવા રાષ્ટ્ર દ્રોહની કલમનો ઉપયોગ કરાતો હોવાથી બંધારણના વિવિધ અનુછેદનો ઉપયોગ કરી સુનવણીને લંબાવામાં આવી રહી છે.

સરકાર દ્વારા સંપૂર્ણ પણે સ્પષ્ટતા આપવા શનિવાર પહેલા  સુપ્રિમમાં સોગંદનામુ આપીને ચોકકસ પણે જાહેર કરવાની તાકીદ કરી છે. આમ,લાંબા સમયથી ચાલતા આ રાજદ્રોહની કલમને બંધારણ સાથે જે લાગુ કરતા અનુછેદ 239 એ એ ના અનુસંધાન તરફ લઇ જવાય છે અને તેના દ્વારા સુપ્રિમના પાંચ જર્જની બેન્ચ સાથેની કાર્યવાહી માટે પણ અનુરોધ દર્શાવેલ છે. આમ, સરકરે સુપ્રિમના ચિફ જર્જની બેન્ચમાં ચોકકસ પણે નવી મુદત ન આપવાનું કહ્યું  તથા સમયસર ચોકકસ પણે ચૂકાદો લાવવાનીતાકીદ કરી છે.

જેના દ્વારા આઇ.પી.સી. ની કલમ 124 તથા બંધારણીય અનુછેદ 239 એ એ માં બદલાવાની સંભાવના રહેલી છે. જે આ સુનવણી ઉપર આધાર રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.