શારદાબેન ભનુભાઈ પરમાર રહે. વિસાવદરવાળા અસ્થિર મગજના હોય જેથી તેણી કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ અને કડકડતી ઠંડીમાં અંધારી રાત્રીમાં એકલા મળી આવતા પોલીસે પુછપરછ કરતા કાંઈ જવાબ આપતા ન હોય જેથી પોલીસ હરકતમાં આવી. પી.એસ.આઈ સરવૈયાએ તાત્કાલિક લેડિઝ પોલીસને તપાસ સોંપીને વાલીની શોધ કરેલ પરંતુ વાલી નહીં મળી આવતા મગજના અસ્થિર બેનને તાત્કાલિક માનવ મંદિર સાવરકુંડલા મુકામે રાખવામાં આવેલ અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરી તપાસ કરતા તેમના વાલી વારસ સસરાપક્ષના મળી આવતા તેનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવી જેને શારદાબેનના નણંદ જયાબેનને માનવ મંદિર મુકામેથી પરત લઈ આવીને સોંપી દીધેલ છે. આમ પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે. પોલીસે સજાગતા રાખીને સારી કામગીરી કરેલ છે. આ કામગીરીમાં રીંકલબેન રાઠોડ, મેઘનાબેન ચૌહાણ, જયરાજભાઈ વાળા, હરેશભાઈ હેલૈયા, ગોપાલભાઈ ટોટા, કૈલાસબેન આદરોધા, સાઈનબેન તમીમી વગેરે સાથે હાજર રહીને કામગીરી કરી હતી.
Trending
- જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું
- પુષ્કળ માત્રામાં પાણીનું સેવન, ઉલ્યું સહિતની ક્રિયા કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ થશે દૂર !!!
- પેલેસ્ટાઈન તરફી વિરોધ ઉગ્ર બન્યો, વિરોધીઓએ કોલંબિયા યુનિવર્સિટીના હોલ પર કબજો કર્યો
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે યુવતીને ” છેતરી “
- માત્ર ગરમી જ નહી કપડાંને કારણે પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન..!
- પશ્ચિમી દેશોનો ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સનો નિયમ ભારતને નડશે!
- પેટાળમાંથી વધુમાં વધુ ખનીજો ઉલેચવા નવી નીતિ લાગુ કરાશે
- ભારત ચીની કંપનીઓના રોકાણને મંજૂરી આપશે પણ ફૂંકી ફૂંકીને!