Abtak Media Google News

અમદાવાદના પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલાં મુસ્લિમ પરિવારોના રહેણાંક ઍપાર્ટમૅન્ટ્સ અને સોસાયટીઓના ગેટ કે દિવાલ પર ‘રાતોરાત’ લાલ રંગની ‘ચોકડી’ લગાવી દેવાઈ હતી. લોકો માટે આ મુદ્દો ચર્ચા અને ચિંતાનું કારણ બન્યો હતો. મુસ્લિમ પરિવારોએ ચૂંટણી પંચ, પોલીસ કમિશનર ઉપરાંત પાલડી અને એલિસબ્રિજ પોલીસને લેખિત અરજી આપી હતી. જોકે હવે આ લાલ ચોકડીનો ભેદ ઉકેલાઈ ગયો છે.  ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતાં અમદાવાદ મ્યુનિ.ના વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે હવે GPS સિસ્ટમ લગાવવામાં આવનાર છે. ત્યારે વાહન રૂટમાં કચરો ભેગો કરે છે કે કેમ તેનું સર્વેલન્સ કરવા GPSની ચીપ લગાવવા માટે ચોકડીઓ લગાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.