Abtak Media Google News

શા માટે ભારતની લોકશાહી મહાન છેએસસી/એસટી

એકટમાં તત્કાલ ધરપકડ કરવાના ચુકાદા મામલે સ્ટે મુકવા સુપ્રીમનો ઈન્કાર.

ભારતીય લોકશાહી લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન છે. જેમાં લોકોને વાણી અને વિચારની સ્વતંત્ર્તા હોય છે. લોકો મુખપણે વિચાર વ્યકત કરી શકે છે. ભારત વિશ્ર્વની સૌી મોટી લોકશાહી ગણવામાં આવે છે. ભારતીય બંધારણમાં પ્રજાસત્તાક સંસદીય પ્રણાલી અને વહીવટી તંત્ર તા ન્યાય પ્રણાલીને સરખા ભાગમાં સત્તા આપવામાં આવી છે. આ સત્તા માટે ખેંચાખેંચી ન થાય તે નિર્ધારીત કરવાનું કામ લોકોને સોંપાયું છે.

દેશમાં તાજેતરના બનાવો પરી સરકાર અને ન્યાય પ્રણાલી વચ્ચેની ટક્કર ઉંડી આંખે વળગે છે. સરકાર અવાર-નવાર આક્ષેપ કરતી હોય છે કે, ન્યાય પ્રણાલી તેના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરે છે. જો કે, જયાં સરકાર નિષ્ફળ નિવડે છે ત્યાં ન્યાય પ્રણાલીને આગળ આવવું જરૂરી બની જાય છે. તાજેતરમાં જ એસસી એસટીના ચુકાદા મામલે સરકાર અને ન્યાય પ્રણાલી વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો.

વડી અદાલતે ગત તા.૨૦ માર્ચના રોજ એસસી/એસટી એકટ હેઠળ ધરપકડ કરવાના ચુકાદાઓ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ સુનાવણી સમયે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે દલીલ કરી હતી કે, અદાલતના ચુકાદાી પાવરની વહેંચણીમાં દખલ ઈ છે. વડી અદાલતે આ કેસમાં કાયદા ઘડવા મામલે પગ મુકયો છે તેવી દલીલ પણ કરાઈ હતી. આ મામલે સુનાવણી તા.૧૬ મેના રોજ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.