Abtak Media Google News

શાસ્ત્રીય નૃત્યશૈલી કથકના ચાહકો માટે રાજકોટમાં સરગમ ક્લબ અને પરમ કથક કેન્દ્ર દ્વારા અદભુત કાર્યક્રમ ’ અર્પણ ’નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કથક નૃત્ય કલા નિહાળી ઉપસ્થિત સૌ અચંબિત બની ગયા હતા.

હેમુ ગઢવી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી હરકાંતભાઈ સેવક ધ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે ભરતભાઈ  યાજ્ઞિક અને સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કથક નૃત્ય શૈલીનું નિદર્શન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમની સફળતા માટે પરમ કથક કેન્દ્રના પલ્લવી વ્યાસ ઉપરાંત સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા વગેરે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.