Abtak Media Google News

મોરબી શહેરના બે યુવકે ફાંસો ખાઈ અને પ્રૌઢનું ટ્રેન હડફેટે મોત

બનાવની મળતી વિગત મુજબ, મોરબીના વીશીપરા રણછોડનગર સાઇબાબાના મંદીર સામે નવલખી રોડ ખાતે રહેતા આબીદ ઇસુબભાઇ કજુડીયા નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા તેના નાના ભાઇ મયુદીન ઇસુબભાઇ કજુડીયા તેમને તાત્કાલિક મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

મોરબીના લુંટાવદર ડીઝા નોન વુવેન કારખાનાના લેબર કવાર્ટરમા રહેતા મોહીત સૈની નામના યુવકે બરવાળા રેલ્વે સ્ટેશનથી લુંટાવદર ગામના રસ્તે આવેલ ડીઝા નોન વુવેન કારખાનાના લેબર કવાર્ટરમાં પોતે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા તેને અંબારામભાઇ મોહનભાઇ રાંકજા દ્વારા તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. હળવદના સુખપર ખાતે રહેતા ભરતભાઇ નરશીભાઇ વડેચા નામના યુવક ગત રાત્રીના સુખપર રેલ્વે ફાટકથી સુખપર ગામ તરફ જતા હતા ત્યારે સુખપર ગામ તરફ 500 મીટરના અંતરમાં કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેનમાં આવી જતા કપાઇ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પી.એમ. અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.