Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય નેતા-પૂર્વ કેન્દ્રીય વાયુ પ્રસારણ-માહિતીના પ્રધાને વિકાસના કાર્યોની ચર્ચા કરી

રાજકોટ કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય નેતા રવિશંકર પ્રસાદની પત્રકાર પરિષદ યોજાઈ હતી. રાજકોટ નવનિર્મિત કમલમ ખાતે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રિય નેતા, પૂર્વ કેન્દ્રીય વાયુ પ્રસારણ – માહિતીના પ્રધાન રવિશંકર પ્રસાદની પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ તકે રવિશંકર પ્રસાદે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યોની ચર્ચા કરી હતી. સાથોસાથ કોંગ્રેસ પાર્ટી તેના ઉમેદવારો તથા આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.રાજકોટ કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય નેતા રવિશંકર પ્રસાદની પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ તકે તેણે ગુજરાતની અર્થ વ્યવસ્થાને 1 ટ્રીલિયન સુધી લઈ જશું એવો અમને વિશ્વાસ છે એમ રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું. અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.રાજકોટ કમલમ ખાતે ભાજપ રાષ્ટ્રીય નેતા રવિશંકર પ્રસાદની પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, બીજેપી પ્રોઇન્કમપેસીન છે.મોદીએ મુખ્યમંત્રી તરીકે જે કાર્ય કર્યું ગુજરાતમાં તેમાં આજે સાબરમતીનું રિવરફ્રન્ટ વિશ્વના નં 1 સ્થળમાં સામેલ થયું છે તેમ રવિશંકર પ્રસાદ ભાજપ રાષ્ટ્રીય નેતાએ જણાવ્યું હતું.

વિધાનસભા 68ના કોંગ્રેસ ઉમેદવારનું નામ નહિ લવ પરતનું તેઓ ગંદી રાજનીતિ કરી રહ્યા છે તેમ રવિશંકર પ્રસાદએ જણાવ્યું હતું.રવિશંકર પ્રસાદએ પત્રકાર પરિષદમાં રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પર આકાર પ્રહાર કર્યા હતા.ભારત જોડો કરતા પહેલા કોંગ્રેસ પોતાની પાર્ટીને જોડે તેમ રવિશંકર પ્રસાદએ જણાવ્યું હતું.

રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ તથાઆમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાત વિકાસશીલ અને શાંત રાજ્ય છે.કોંગ્રેસ તથા આપ જેવી પાર્ટી નહિ. પ્રજાને માત્ર ભાજપ પાર્ટી જોય છે તેમ રવિશંકર પ્રસાદએ જણાવ્યું હતું.મોદીએ ગુજરાતની પ્રજાના આશીર્વાદથી મુખ્યમંત્રી તરીકે 14 વર્ષ ગુજરાત રાજ્યને ચલાવ્યું છે તેમ રવિશંકર પ્રસાદએ જણાવ્યું હતું.ગુજરાતની અર્થ વ્યવસ્થાને 1 ટ્રીલિયન સુધી લઈ જશું એવું કહી અમને વિશ્વાસ છે તેમ રવિશંકર પ્રસાદએ જણાવ્યું હતું.ભારત 2015 થી દુનિયાનું ત્રીજું સ્ટાર્ટઅપ હબ બન્યું છે તેમ જણાવી રવિશંકર પ્રસાદએ વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીને આગળ વધારા ગુજરાતના નેતાઓ ખૂબ મહેનત કરી છે.ગુજરાતના ખેડૂતો માટે 83 હજાર કરોડના વિકાસના કામો કર્યો છે તેમ પણ રવિશંકર પ્રસાદએ જણાવ્યું હતું. ભાજપ અનુશાસનની પાર્ટી છે.નવા લોકોને અવસર આપે છે. વરિષ્ઠ નેતા ઈમાનદારીથી પાર્ટી સાથે જોડાયા છે.જેનું 8 તારીખે પરિમાણ જોવા મળશે તેમ અંતમાં રવિશંકર પ્રસાદએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.