Abtak Media Google News

Vlcsnap 2018 10 08 11H55M05S127સાવલીયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સારસ્વત સન્માન સમારોહનુ આયોજન રામેશ્ર્વર પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યું હતું. ૪૦ જેટલા વિઘાર્થીઓ તથા અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઇ પટેલ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા તથા ભોજલધામના મહંત ભકિતરામ બાપુ તથા સાવલીયા પરીવાર ટ્રસ્ટના પ્રમુખ અને હોદેદારો ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

સાથે ૫૦૦૦ જેટલા સભ્યો પણ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.વધુમાં પ્રમુખ મહેશભાઇ સાવલીયા એ જણાવ્યું હતું કે છેલ્લા ૧૭ વર્ષથી અમે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. અને અંદાજે દર વર્ષ ૪૦ જેટલા બાળકોને અમે તેમની જરુરીયાત ને ઘ્યાનમાં રાખી વસ્તુ આપી સન્માન કરતા હોઇએ છીએ. આ વર્ષ પણ અમે ૧ થી ૧ર માં ભણતા ૪૦ જેટલા બાળકો તથા અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા નામી વ્યકિતઓને સન્માન કરેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ છે કે વિઘાર્થીઓ ને વધુને વધુ આગળ વધવા માટે પ્રોત્સાહન મળી રહે તથા સ્ટેજ ફીયર તેમને દુર થાય, ઉપરાંત બધા જ સમાજના સભ્યો આ કાર્યક્રમ મા આવે જેથી એકતા વધે અને લોકો પરસ્પર જોડાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.