Abtak Media Google News
  • ત્રણ વર્ષમાં ગુજરાતમાં 25478 લોકોએ અકાળે જીંદગી ટૂંકાવી

દેશમાં અને ગુજરાતમાં સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અંગે કેન્દ્ર સરકારની જનતા સાથેના વિશ્ર્વાસઘાત, ‘અચ્છે દિન’, ‘અમૃતકાળ’, ‘ખેડૂતોની આવક બમણી’ ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્ન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીના આકરા પ્રહાર કરતા જણાવ્યું છે.

Advertisement

દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો  વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ 2017થી 2022 સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી સરેરાશ દરરોજ 407થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે. ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર આત્મહત્યા કરી રહ્યા છે. ભારતમાં દર 25 મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે.

આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ વધી ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહીત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતના પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આત્મહત્યાઓ ચિંતાજનક છે. ગુજરાતમાં વિધાર્થીઓની આત્મહત્યામાં 21 ટકાનો વધારો, ત્રણ વર્ષમાં 6879 વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષમાં 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી છે. વર્ષમાં 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.