Abtak Media Google News

રાજુલા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૧૪ દિવસ થી ન્યાય માટે લડત કરી રહ્યા છે છતાં પણ સરકાર કે તંત્રના પેટનું પાણી હાલતું નથી લોકો ૧૪ દિવસથી રોજગારી છોડી ન્યાય માટે ઉપવાસ કરી રહ્યા છે આંદોલન કરી રહેલા તમામ લોકો મજૂર વર્ગ નાં લોકો છે તમામ લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે છતાં પણ સરકાર માનવતાની દષ્ટિએ પણ નથી જોઈતી.

Img 20180508 Wa0025ભાજપના કડિયાળી તાલુકા પંચાયત ના સદસ્ય ના સુપુત્ર જીલુભાઈ બારૈયા અને મધુભાઈ સાંખટ માંધાતા ગ્રુપ ના પ્રમુખ છેલ્લા બે દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે લોકોને વહેલી તકે ન્યાય મળે તે માટે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે પરંતુ આ લોકની ફરિયાદ છે કે તંત્ર દ્વારા આમરણાંત ઉપવાસીઓને જે વ્યવસ્થા કરવાની હોય તે તંત્ર દ્વારા કરવામાં આવી નથી જીલુભાઈ બારૈયા અને મધુભાઈ સાંખટ રાત્રે વગર લાઈટે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.

Img 20180508 Wa0026

પીપાવાવ ધામ ના સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા એ વિજીલન્સ કમિશન ને પત્ર લખીને વિજીલન્સ તપાસ ની માંગ કરી છે તેમજ સરપંચ દ્વારા માનવ અધિકાર પંચ ને પણ પત્ર લખીને લોકો ને ન્યાય મળે તે માટે અપીલ કરી
૧૪મા દિવસે લોકો વચ્ચે હાજર રહેતા અશોકભાઇ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા રણછોડભાઈ બાંભણિયા ભગુભાઈ વાજા અજયભાઈ શિયાળ કુંડલિયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયા તેમજ આસપાસના ગામોના લોકોએ હાજરી આપી હતી.

Img 20180508 Wa0030

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.