Abtak Media Google News

કાર્યાલયે એકઠી થતી માનવ મેદનીએ અંબરીશ ડેરની જીતનો થપ્પો લગાવ્યો

૯૮-રાજુલા વિધાનસભામાં કોંગ્રેસ તરફી માહોલ જામતો જાય છે તેમાં કોંગ્રેસ ઉમેદવાર અંબરીશભાઇ ડેરના કાર્યાલયો જાફરાબાદના ટીંબી ગામે તેમજ ખાંભા તાલુકાના ડેડાણ ગામે ચુંટણી કાર્યાલયો ખુલ્લા મુકવામાં આવ્યા છે.

આ કાર્યાલયોના ઉદધાટનમાં ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. બાબુભાઇ જાલંધરા, બાબુભાઇ રામ, ટીકુભાઇ વરુ, કનુભાઇ ધાંખડા, ભરતભાઇ સાવલીયા, ડો. કિર્તીભાઇ બોરીસાગર, મીઠાભાઇ લાખણોત્રા, રામભાઇ ભરવાડ, અબ્દુલભાઇ સેલોત, દિપકભાઇ પરમાર, પ્રેમજીભાઇ સેજલીયા, ભોળાભાઇ આહિર, જીકારભાઇ વાઘ, જે.પી. ડેર સાહેબ, ધીરુભાઇ પરમાર, નારણભાઇ વાળા, પ્રવિણભાઇ બારૈયા તથા આજુબાજુના ગામોના સરપંચો યુવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહેતા ભાજપ છાવણીમાં સન્નાટો જોવા મળેલ હતો.

આ કાર્યાલયો ખુલ્લા મુકવામાં આવતા આજુબાજુના મોટાભાગ  ગામડાઓમાં પ્રચાર કાર્ય ખુબ જ તેજ બની ગયેલ છે. અને કોગ્રેસ ઉમેદવાર અંબરીશભાઇ ડેરનો ખુબ જ લોક સર્પક મળી રહેલ

છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.