Abtak Media Google News

અબતક, દર્શન જોષી, જૂનાગઢ

Advertisement

જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઈડ લાઇન તેમજ સુપ્રીમ કોર્ટના સુઓમોટો રિટ મુજબ કોરોના  મહામારીના રોગના કારણે જૂનાગઢ જિલ્લા જેલના કાચા કામના કેદી તેમજ પાકા કામના કેદી એવા  28 કેદીઓને પલે તેરે જમીન એટલે કાઢવાના જામીન ઉપર 90 દિવસની મુદત માટે  જામીન આપેલા છે. જૂનાગઢના જેલના જેલર રબારી તેમજ અન્ય સ્ટાફે જહેમત ઉઠાવી 28 કેદીઓને જુનાગઢ જેલમાંથી છોડવામાં આવેલા છે,

આ આરોપીને છોડ્યા બાદ તેના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ જિલ્લા જેલના અધિકારીઓ દ્વારા નિભાવી છે. આરોપીઓને જામીન ઉપર છોડવામાં આવ્યા છે તે તમામ આરોપીઓને 90 દિવસ પછી જેલમાં હાજર થવાનું રહેશે. આ આરોપીઓના જામીનગીરીની કામગીરી માટે જૂનાગઢના ધારાશાસ્ત્રી ધર્મિષ્ઠાબેન જોશી સહિતના 5 ધારાશાસ્ત્રીઓ નિમાયા હતા અને તમામ આરોપીઓને જૂનાગઢ જિલ્લા જેલમાંથી છોડાવવાની કામગીરી કરવામાં આવેલી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.