Abtak Media Google News

લગભગ ૩૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ ૧૦૦ હિન્દુઓનું અપહરણ કરી ૯રની હત્યા કરી નાંખી છે. જયારે આઠ બાકી બચેલા લોકોને મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડવામાં આવી હતી. આ ઘટના રપ ઓગષ્ટ ર૦૧૭ની છે. આ માહિતી મ્યાંમાર સ્ટેટ કાઉન્સીલ ઇન્ફોર્મેશન ઓફિસે આપી છે. તાજેતરમાં ખાડામાંથી ર૮ હિન્દુ શબ મળ્યા હતા. તે દરમિયાન આ વિગતો બહાર આવી હતી તેમાં મહિલાઓ અને બાળકોના મૃતદેહો પણ સામેલ છે. મ્યાંમાર આર્મીનું કહેવુ છે કે આ નરસંહાર રોહિંગ્યા મુસ્લિમ મીલી ટેન્ટ દ્વારા કરવામાં આવેલ છે. સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ જે હિન્દુ જીવતા બચી ગયા તેમને રોહિંગ્યા મુસ્લિમો દ્વારા ફરજીયાત ધર્મ પરિવર્તન કરી લેવાયુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, આ એક ઇસ્લામિક સ્ટેટ છે તેઓ કહે છે કે, રખાઇન સ્ટેટ રોહિંગ્યા રાજય છે. અમે તેમને કહ્યુ કે, રાજય તેમનુ નથી, તેઓએ કહ્યુ હતુ કે, અમે હિન્દુઓને મારી નાખશુ અને અમે તેમને આવુ કરતા જોયા છે. તેઓએ અમારા ઘરોને આગ લગાડી તો અમારે ભાગવુ પડયુ હતુ. શખ્સનો દાવો છે કે અહીથી લગભગ ૩૦ હિન્દુઓ લાપત્તા છે. આમાંથી આઠ લોકોના મૃતદેહો મળ્યા છે અને ૧૭ હિન્દુઓની કબર પણ મળી છે.

બીજી તરફ રોહિંગ્યા મુસ્લિમોથી જીવ બચાવી ભાગી જનાર એક મહિલાનું કહેવુ છે કે, તેઓ નકાબ પહેરી આવ્યા હતા. તેઓની માત્ર આંખો જ દેખાતી હતી. તેઓએ અમને બંધક બનાવ્યા. તેઓની પાસે બંદુક, કુહાડી અને ચાકુ હતા. તેઓએ મારા પરિવારને ફાંસીએ લટકાવી દીધો. તેઓએ ફરજીયાત ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવ્યુ અને મારા પતિને ફાંસીએ લટકાવી દીધો, મારી બહેન અને તેના પુત્રને પણ આવી જ ફાંસી આપી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.