Abtak Media Google News

તબીબી સારવારમાં રાહત આપતા ‘માધવ હેલ્થ કાર્ડ’નું લોન્ચીંગ પણ થશે: ‘અબતક’ને અપાઈ વિગતો

માધવ શરાફી સહકારી મંડળી દ્વારા સભાસદો માટે મીરા દિવાની તરીકે પ્રસિધ્ધ બોલીવુડ સીગર સંજીવની ભેલાંડેના કૃષ્ણ સંગીતનો કાર્યક્રમ તા.૨૫ને રાત્રે ૮.૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે રાખેલ છે.

સભાસદોના કલ્યાણ માટે જ અવિરત પ્રયત્નશીલ માધવના બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા આ વર્ષે મનોરંજનના માધ્યમથી વ્યકિતના માનવીય મૂલ્યોના ઉદર્વીકરણ અને સંસ્કારસિંચનની એક માત્ર ભાવનાથી આ સમારોહ રાખ્યો હોવાનું ‘અબતક’ને આગેવાનોએ જણાવ્યું હતુ.

માધવના મેનેજીંગ ડીરેકટર ડો.એન.ડી. શીલુ, વાઈસ ચેરમેન ડો. કેતન ભાવીસી, ડીરેકટર ભરતભાઈ જોષી, ડો. સાવલીયા, ડો. પરમાર, ગીરીશ ગોરીયા, અશોક ધનવાણી, રૂપાબેન શીલુ, નીતાબેન અવલાણી, ચેરમેન ડો. પ્રકાશ મોઢાના માર્ગદર્શનમાં કામ કરી રહ્યા છે. સમગ્ર માધવના કર્મચારી ગણ સ્ટાફ અને ફાયનાન્સીયલ એડવાઈઝર, જી.એમ. ચંદ્રેશભાઈ કાપડીયાની આગેવાની નીચે કામ કરે છે.

દરેક સભાસદોને પ્રવેશ માટેના પાસ મંડળીની ઓફીસથી મળી જશે. જેમાં સભાસદનાનું નામ નંબર હશે. એમાં પણ સમય પાલન માટેના આકર્ષક ઈનામ મળશે. બેઠક વ્યવસ્થા વહેલા તે પહેલાના ધોરણે રાખેલ છે.

આ તકે સંસ્થાના ચેરમેન દ્વારા તબીબી સારવારમાં પણ રાહત આપતા માધવ હેલ્થ કાર્ડનું લોન્ચીંગ થનાર છે.જેમાં ગોકુલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી સેવાની વિગતો આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.