રાજુલા-૯૮ વિધાનસભા પર કોંગ્રેસ શાસનનું આજે એક વર્ષ પૂર્ણ થયેલ છે. જેમાં નિષ્ફળ જવાના આક્ષેપ સાથે આજે રાજુલા ભાજપે મૌન રેલી કાઢીને અનોખો વિરોધ કરવામાં આવેલ હતો. રાજુલામાં છેલ્લા ઘણા સમય બાદ ભાજપ દ્વારા વિરોધરુપે રેલી કાઢવામાં આવતા લોકો જોવા ઉમટી પડયા હતા. આ અંગે ભાજપ દ્વારા એવું જણાવેલ છે કે વિધાનસભા રાજુલા-૯૮ માં કોંગ્રેસની જીતનું એક વર્ષ પૂર્ણ થયું જે સદંતર નિરાશાજનક રીતે પબ્લીકના કોઇ જ કામ થતા નહી હોય કોં ને ઢંઢેળવા માટે આ મૌન રેલી યોજવામાં આવેલ હતી. અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને બસ સ્ટેન્ડ પાસે વૃઘ્ધાશ્રમમાં સમાપન થયેલ હતું. આ રેલીમાં જીલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, રાજુલા પૂર્વ નગરપાલિકાના ચેરમેન દીલીપભાઇ જોશી તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયેલ હતા.
Trending
- સપ્તાહના છેલ્લા દિવસની શરૂઆતમાં શેરમાર્કેટ લાલધુમ
- શું 3 મિનિટની કસરતથી વજન ઘટશે..?
- નરસિંહ જયંતિ ક્યારે ઉજવાશે, જાણો તિથિ, શુભ સમય અને પૂજાવિધિ
- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો