ગુજરાતના પ્રસિઘ્ધ યાત્રાધામ બેટ દ્વારકાના મંદિરના ગેરવહિવટ તથા ટ્રસ્ટીમંડળની ગેરકાયદેસર નિમણુકના વિવાદો હાલ ન્યાયાલયમાં ચાલી રહ્યા છે તે દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે જાગૃત નાગરિક ભગવતપ્રસાદ પાઢની રીટ પીટીશન અંગે મહત્વનો ચુકાદો આપતા બેટ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીઓની દર પાંચ વર્ષે નિમણુક કરવાનો નિયમ છે પણ ટ્રસ્ટ દ્વારા મનસ્વી રીતે ટ્રસ્ટીઓની ગેરકાયદેસર નિયમો વિરુઘ્ધ નિમણુક કરવામાં આવી હોવાના મુદા સાથે મંદિર વહિવટમાં મોટાપાયે ગેરરીતિઓ અંગે ભગવતપ્રસાદે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ હતી. આ કેસની સુનાવણીના અંગે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એસ.વોરાએ જિલ્લા અદાલતને તમામ ટ્રસ્ટીઓની નવેસરથી પુન:નિમણુક ત્રણ મહિનામાં કરવા આદેશ આપ્યો છે. અરજદાર ભગવતપ્રસાદ તરફથી એડવોકેટ ટી.પટેલની રજુઆતોને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે ટ્રસ્ટીઓની નવેસરથી નિમણુકનો આદેશ આપતા ટ્રસ્ટીમંડળમાં ભારે હલચલ મચી ગઈ છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!