શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરામાં તેના માર્કેટ વિસ્તાર કુંકાવાવ વડીયા તથા બગસરા તાલુકાના કોઈપણ ખેડુત ખાતેદારનું અકસ્માતથી મૃત્યુ પામે તો મૃતકના પરિવારને બજાર સમિતિ તરફથી રૂ.૫૦૦૦૦ તેમના વારસદારને ચુકવવાનો બજાર સમિતિએ નિર્ણય લીધેલ છે.તાજેતરમાં કુંકાવાવ, વડીયા તાલુકાના જંગર ગામના ખેડુત ખાતેદાર કનુભાઈ રવજીભાઈ વસાણીનું રોડ અકસ્માતથી અવસાન થતા ખેડુત ખાતેદારના વારસદાર સવિતાબેન કનુભાઈ વસાણી ને રૂ. પચ્ચાસ હજાર બજાર સમિતિ તરફથી રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક અર્પણ કરતી વખતે રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ, બજાર સમિતિના ચેરમેન કાંતીભાઈ સતાસીયા તેમજ બજાર સમિતિના ડીરેકટર્સ પરશોતમભાઈ કુંનડીયા, ગોરધનભાઈ કાનાણી ધીરૂભાઈ વસાણી તથા જંગર મંડળીના પ્રમુખ ભગવાનભાઈ મોવલીયા ગામના આગેવાનો હાજર રહી અકસ્માતથી મૃત્યુ પામનાર ખેડુતના ઘરે જઈ તેના પરિવારને ચેક અર્પણ કર્યો હતો
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો