Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પંડિત દીનદયાળ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમિત શાહ સિવાય મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

અમિત શાહે પોતાનાં સંબોધનની શરૂઆત ‘ભારતમાતા કી જય’ સાથે કરી હતી. તેણે ગુજરાતમાં 26એ 26 સીટ જીતવાનો સંકલ્પ કરી કાર્યકરોને પણ ‘ભારત માતા કી જય’નાં નારા પણ લગાવડાવ્યાં હતાં. તેમણે આ કાર્યક્રમમાં જણાવ્યું કે, ‘આજથી બીજેપીએ 2019ની ચૂંટણીનાં પ્રચારની શરૂઆત કરી છે.’તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘કોંગ્રેસ પાસે નથી નેતા કે નથી નીતિ.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.