કાશ્મીરના પુલવામાં ફરજ બજાવતા દેશના સૈનિકો ઉપર જે ૬ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ઘટનાના વિરોધમાં ભાયાવદર નગરપાલિકા દ્વારા ગઈરાત્રે શહિદ વિરોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ગતરાત્રે ભાયાવદર શહેરના સ્ટેન્ડ ચોકમાં નગરપાલિકાના પ્રમુખ રેખાબેન પટેલ, કારોબારીના ચેરમેન નયન જીવાણીની આગેવાનીમાં વેપારીઓ, ખેડુતો, યુવાનો તમામ સમાજના લોકો હાજર રહી શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ પ્રગટાવી પાકિસ્તાન મુદાબાદ, ભારત જીદાબાદના નારા લગાવ્યા હતા. બે દિવસ પહેલા આતંકીઓ દ્વારા હુમલાના ઘેરા પડઘા તાલુકાના ભાયાવદર, પાનેલી, કોલકી, ઢાંક સહિતના ગામોમાં પડયા છે. ઠેર–ઠેર પાકિસ્તાન વિરુઘ્ધ નારા લાગી રહ્યા છે. લોકોની માંગણી છેકે પાકિસ્તાન વિરુઘ્ધ યુદ્ધ જેવી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.
Trending
- આ ભયંકર પક્ષીની વિશેષતાઓ જાણશો તો આંખો પહોળી થઇ જશે!!
- હું પણ માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર : પરસોત્તમ રૂપાલા
- AstraZeneca કોવિડની રસી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે કંપનીએ લીધો મહત્વનો નિર્ણય
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના