રાજકોટમાં ધો.૧૦ની પરીક્ષા આગામી તા.૭ માર્ચથી શરૂ થવાની હોય સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્ન પેપરોનું જયારથી વિતરણ કરવામાં આવનાર છે તે ચૌધરી હાઈસ્કુલમાં અને કરણસિંહજી સ્કુલમાં બોર્ડના પ્રશ્ન પેપરો આવી ગયા છે. આ પ્રશ્ર્નપત્રની સુરક્ષાને લઈને સ્ટ્રોંગ‚મમાં પ્રશ્નપેપરો ગોઠવી રાઉન્ડ ધી કલોક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.DSC 8194 ધો.૧૦ અને ધો.૧૨ના તમામ પ્રશ્નપત્રોનું સૌરાષ્ટ્રભરમાં રાજકોટના ચૌધરી હાઈસ્કુલ તેમજ રાજકોટની કરણસિંહજી હાઈસ્કુલ ખાતેથી વિતરણ થવાનું છે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાને લઈને અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને પ્રશ્નપેપર જયાં સચવાય છે તેની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.