બગસરા નગરપાલિકાની સામાન્યસભા પાલિકા પ્રમુખ રસીલાબેન પાથર તથા ઉપપ્રમુખ નિતેષ ડોડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ચલાલાના ચીફ ઓફિસર ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં રૂા.૨૭૭ લાખના કામોને બહાલી અપાઈ જેમાં નટવરનગરના લાલપુલથી બાયપાસ ચોકડી સુધી સી.સી.રોડ, કુકાવાવ નાકા મહાજનના વંડાથી આઈટીઆઈ સુધી સીસી રોડ તથા રાજકોટ રોડ સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ગેટ સુધી રોડ બનાવવામાં આવશે. આ સાથે નદીપરાના નવાપુલથી હજીરાપીર દરગાહ સુધી અને રતનેશ્ર્વર મહાદેવના મંદિરથી જુના પુલ થઈ મયુર સ્ટોરવાળા અસગરભાઈના ઘર સુધી મહાજનના વંડાથી બંગલી ચોક તથા મામલતદાર ઓફિસ સુખાભાઈના ગેરેજથી શાકમાર્કેટ સુધીના રોડના કામો મળી કુલ રૂા.૨૭૭ લાખના કામોને બહાલી આપવામાં આવી છે. આ મીટીંગમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રશ્ર્વિનભાઈ ડોડીયા, એ.વી.રીંબડીયા, છગનભાઈ હિરાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહેલ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો