Abtak Media Google News

લૌકીક પ્રથા બંધ રાખી અબોલ પશુઓને  નાખ્યો ૪૫ હજારનો ઘાસચારો

પુત્રવધુના પ્રેરણાદાયી કાર્યથી પ્રેરાઈ અન્ય બે પરિવારોએ પણ પશુઓને નાખ્યો એક લાખનો ઘાંસચારો

દામનગર  પ્રિન્સિપાલ નલિનીબેન અને માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા ના પુત્રી ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ કેવલ્યલતા ઉર્ફે કીટીબેન તુહીનભાઈ ભટ્ટ દ્વારા સસરા એડવોકેટ મિલનભાઈ ભટ્ટ નું થતા મિલનભાઈ એસ ભટ્ટ ને પુત્રવધુ એડવોકેટ કીટીબેન એસ મહેતા દ્વારા અનોખી રીતે શ્રધાંજલિ પાઠવી હતી સસરા સ્વ મિલનભાઈ ભટ્ટ ના અવસાન થી દામનગર ખાતે જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ખાતે એક સપ્તાહ સુધી અબોલ જીવો ને દૈનિક પાંચ હજાર નો ઘાસચારો નાખી પ્રેરણાત્મક પહેલ કરી હતી આ વાત થી પ્રેરાય ને દામનગર બ્રહ્મસમાજ ના અગ્રણી ગોતમભાઈ રાવળ હાલ સુરત  પરિવાર દ્વારા સ્વ મુકેશભાઈ હિંમતભાઈ રાવળ ના અવસાન થી હસ્તે નિકુલભાઈ રાવળ તરફ થી પણ ૪૧ હજાર નો ઘાસચારો દામનગર ના સિદ્ધપરા રમેશભાઈ બચુભાઇ ના માતૃશ્રી ની સ્મૃતિ માં ૪૫ હજાર નો ઘાસચારો એમ કુલ ત્રણ પરિવારો એ કીટીબેન મહેતા ની પ્રેરક પ્રવૃત્તિ એ ફૂલ દોઢ લાખ ની રકમ નો ઘાસચારો નંદીશાળા ના અબોલ જીવો માટે અર્પણ કરી પરોપકાર ની પ્રેરણાત્મક પ્રવૃત્તિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.