ગાંધીધામ નગરપાલિકાના વિસ્તારમાં અવાર નવાર લોકોની ફરિયાદ હોવા છતાં નગરપાલિકા દ્વારા ગેરવહિવટને લઇને લોકો બૂમરાડ પાડી રહ્યા છે. રજુઆત કરવામાં આવ્યા છતાં પગલાં ભરાતા નથી. આવા કેટલાક કિસ્સાઓને કારણે પાલિકા પર હવે લોકોને ભરોસો ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ગુરૂકુળ વિસ્તારમાં ગટરના પાણી મુદ્દે રહિશોના આકરા તેવર પછી પણ સંપૂર્ણ રીતે આ પોશ વિસ્તારમાં સમસ્યા ઉકેલી શકાઇ ન હતી. રસ્તા પર પડેલા ખાડા દૂર કરવા કરેલી માગણીને પણ નજર અંદાજ કરતાં ગુરૂકુળ યુથ ક્લબે રૂ.૨ લાખનો ફાળો એકત્ર કરીને રોડ બનાવી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું હતું. હવે વરસાદ બાદ માખી-મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે તેને લીધે રોગચાળો વધુ ન વકરે તે માટે માનવતા ગૃપને સાથે રાખીને શેરીઓમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની કામગીરીથી નારાજ થઇને સંસ્થાઓએ શરૂ કરેલા આ વ્યાયામમાં પ્રકાશ ઠક્કર, જે.જે.ઠક્કર, દિનેશભાઇ શર્મા, વિપુલભાઇ, મનોજભાઇ પટેલ, મુળજીભાઇ ગઢવી, માનવતા ગ્રૂપ સંસ્થાના ગોવિંદભાઇ દનિચા વગેરે જોડાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!