માણાવદર બિરાદરી દ્વારા પ્રતિવર્ષ ની માફક આ વર્ષે માણાવદર નગરનો ૩૩૦ મો સ્થાપના દિન અને માણાવદર નગરનો ૭૩ મો મુક્તિ દિન તા. ૨૨/૧૦/૨૦૨૦ને ગુરૂવારે ઉજવાશે માણાવદર બિરાદરી ના સંયોજક મયુરભાઇ રાવલ ના જણાવ્યા અનુસાર આરઝી હકુમત ની ઐતિહાસિક લડતથી નવાબી શાસન માંથી ૨૨/૧૦/૧૯૪૭ ના દિવસે મુકત થયું માણાવદર બિરાદરી સને ૧૯૯૮ થી માણાવદર મુક્તિ દિન ઉજવે છે તા. ૨૨/૧૦/૨૦૨૦ ને ગુરૂવારે સાંજે પાંચ કલાકે ગાંધી ચોક માણાવદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂરાકદની પ્રતિમાને સૂતર માલા અને પુષ્પાંજલિ અર્પણ કરી માણાવદર નગરનો ૩૩૦ મો સ્થાપના દિન અને ૭૩ મો માણાવદર મુક્તિ દિન ઉજવાશે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી સરકારના આદેશ અનુસાર ઉજવણી કરવામાં આવશે તેમ મયુરભાઇ રાવલે જણાવ્યું હતું
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી