Abtak Media Google News

ઉદ્ઘાટન પ્રસંગે તમામ ગ્રાહકોને ‘માનસિક શાંતિના સચોટ ઉપાયો’ પુસ્તક અપાયું

રાજકોટના પ્રવિણ પ્રકાશન પ્રા.લી. વાળા માકડિયા પરિવારના રાજકોટમાં રૈયા ચોકડી પાસે નવુ સોપાન વન સ્ટોપ માટેનો ઉદ્યોગપતિ વડાલીયાના હસ્તે શુભારંભ કરાયો હતો.

અત્યારના હરીફાઈના સમયમાં ગ્રાહકોને સારા ગુણવંતા અને બેસ્ટ ક્વોલીટીની સાથે સાથે વ્યાજબી ભાવે ઘરમાં રોજીંદી જીવન જરૂરીયાતની વસ્તુઓ જ સ્થળેથી મળી રહે તે માટે રાજકોટના પ્રવિણ પ્રકાશન પ્રા.લી. વાળા ગોપાલભાઈ માકડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, મિહિરભાઈ માકડિયા અને જયભાઈ માકડિયા પરિવારનું નવું સોપાન સત પ્લાઝા, ગ્રાઉન્ડ ફલોર, રૈયા સર્કલ પાસે રાજકોટમાં વન સ્ટોપ માટે (સુપર માર્કેટ)નો અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને માકડિયા પરિવારના વડીલ વલ્લભભાઈ વડાલીયાના શુભ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય-સામાજીક આગેવાનો, શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે તમામ ગ્રાહકોને માનસિક શાંતિના સચોટ ઉપાયો અંગેના પુસ્તક વિનામુલ્યે અપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.