કૃષિ પ્રધાન ભારતમાં કપાસની ખેતી મહત્વની રોકડ ઉપજ તરીકે ખેડૂતો માટે પસંદગીની ખેતી છે. કપાસના ખેડૂતો માટે કાપડ ઉદ્યોગનો વિકાસ અનિવાર્ય છે ત્યારે રાષ્ટ્રીય કાપડ અને ઉદ્યોગ સમીતી એનસીટીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કાપડ માટેના વિસ્પોટેપલ ફાયબર અને એન્ટી ડમ્પીંગ ડયૂટી હટાવવાની માંગ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો માલ વેંચવામાં સરળતા રહે તે માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવું અનિવાર્ય છે. ટેકસટાઈલ્સ ઉદ્યોગના પ્રતિનિધિઓએ વડાપ્રધાનને રૂબરૂ મળી એન્ટી ડમ્પીંગ હયૂટી હટાવવા માંગ કરી છે. ૩૫૦ બિલીયન અમેરિકન ડોલરની નિકાસને પહોંચી વળવા માટે તમામ પ્રકારના આયાતી દોરા ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટીના નિયંત્રણથી ઘરેલું ઉત્પાદન અને તેની નિકાસને વેગ આપી શકાય. તમામ પ્રકારના વીએસએફ પાવરલુમ ઉદ્યોગો તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વીએસએફના ભાવ વધારાને લઈને મુશ્કેલીનો અનુભવ કરી રહી છે ત્યારે એન્ટી ડમ્પીંગ ડયૂટી અને વધારાના કર હટાવીને વીએસએફની પડતર ઓછી કરીને નિકાસ ક્ષેત્રને બળવતર બનાવવા માંગ કરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો