તા.૧૫ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર આવી રહ્યાં હોય તેમના કાર્યક્રમને તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આગામી ૧૫મી જાન્યુઆરીએ જામનગરનો પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને તેઓના હસ્તે જામનગર ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ અન્વયે કલેકટર કચેરી ખાતે કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થાઓ, સ્થળ પરની સુરક્ષા વગેરે બાબતોના આયોજન વિશે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા તથા પ્રાંત અધિકારીઓ, અન્ય સંલગ્ન કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રજાલક્ષી કાર્યો થઈ રહ્યાં છે. વિકાસ કામો પુરા થયા હોય તેના લોકાર્પણ થઈ રહ્યાં છે અને નવા નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યાં છે. એક માસ જેટલા ટૂંકાગાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ ત્રીજી મુલાકાત છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી