Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના મહામારીના વધતા સંક્રમણને રોકવા સરકાર સાથે હવે લોકો જાગૃત થયા છે. લોકો દ્વારા પોતાના ગામમાં, વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવાય રહ્યા છે. આ સાથે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સંક્રમણને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

હિંમતનગરમાં સંક્રમણ અટકાવવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લગ્ન રજીસ્ટેશન અને જન્મ મરણની નોંધણી બંધ કરાઈ છે. આ માહતી બધા લોકો સુધી પોહ્ચાડવા નગર પાલિકાના ગેટ પર હુકમનું બોર્ડ લગાડવામાં આવ્યું છે.

Himmatnagar
કોરોના સંક્રમણથી બચવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે. જો કોઈને ઇમર્જન્સીમાં દાખલાની જરૂર હશે તો કાઢી આપવામાં આવશે. આ નિર્ણય કેટલા સમય સુધી લાગુ રહશે તે બાબતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતા અહેવાલ મુજબ સંક્રમણ હળવું ના થાય ત્યાં સુધી લગ્ન રજીસ્ટેશન, જન્મ મરણની નોંધણી બંધ રહશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.