નીરવ મોદીને દિવાળીની શરૂઆત બાદના નવા વર્ષમાં મોટો આંચકો લાગ્યો છે, યુકેની અદાલતે બુધવારે પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડી કેસના સંબંધમાં ભારતમાં નીરવ મોદીના પ્રત્યાર્પણ સામે ભાગેડુ હીરાના વેપારીની અપીલને ફગાવી દીધી હતી. નીરવ મોદી જ્યારે પ્રત્યાર્પણ કરવામાં આવશે, ત્યારે કરોડોની છેતરપિંડીમાં તેની ભૂમિકા માટે છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ લગાવશે.

આ વર્ષની શરૂઆતમાં અપીલની સુનાવણીની અધ્યક્ષતા કરનાર લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જે.એ આપ્યો ચુકાદો.

દક્ષિણ-પૂર્વ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં જેલના સળિયા પાછળ રહેલા 51 વર્ષીય ઉદ્યોગપતિને ગયા ફેબ્રુઆરીમાં પ્રત્યાર્પણની તરફેણમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ ગૂઝીની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ ભારતમાં સૌકોંઈ હાઈકોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે સરકાર સાથે બેંકના અધિકારીઓને પણ આ ચુકાદાથી રાહત થઈ હશે

હાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તડામાર તૈયારી શરુ છે ત્યારે જો નીરવ મોદીને ભારત લાવવામાં આવશે તો નક્કી જ ભાજપ તેનો ચૂંટણીમાં જોરે-સોરેથી પ્રચાર કરી શકે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.