Abtak Media Google News

Screenshot 4 38  ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને બસની અનિયમિતાના કારણે હેરાન પરેશાન થતાં હોય, જેના વિરોધમાં આજે એનએસયુઆઇના કાર્યકતાઓએ એસ.ટી. સ્ટેનડ ખાતે વિરોધ નોંધાવ્યો

ધાર્મિક મહોત્સવમાં એસ.ટી. નિગમ દ્વારા મોટાપાયો બસો ફાળવી દેવામાં આવતા અને ગામડેથી અભ્યાસ માટે અપડાઉન કરતા વિઘાર્થીઓની બસો રદ કરી નાખતા આજરોજ  એન.એસ.યુ. આઇ.ના કાર્યકરોએ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે વિરોધ નોંધાવી હલ્લાબોલ કર્યો હતો. એસ.ટી. ડેપો પર એન.એસ.યુ. આઇ. ના કાર્યકરોએ રામધુન સુત્રોચ્ચાર કરતા મુસાફરોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

Advertisement

Screenshot 6 33

અમદાવાદ ખાતેના પ્રમુખ સ્વામી મહોત્સવના કારણે છેલ્લા 1પ દિવસથી એસ.ટી. બસના અનેક રૂટો રદ કરી દેવાતા વિઘાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે એન.એસ.યુ. આઇના કાર્યકરોએ ડેપો પર રામધુન સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે પોલીસ આવી જતા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.