Abtak Media Google News

ધંધો-રોજગાર શરૂ કરવા માટે 2 લાખની વ્યકિતગત લોન અને 10 લાખ સુધીની  જૂથલોન મળશે

એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાાં  7 ટકા ઉપરનાં  વ્યાજની સબસીડી પણ ઉપલબ્ધ

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકેબલ યોજના  ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. 2,00,000/-ની વ્યક્તિગત લોન મળવાપાત્ર છે તેમજ રૂ. 10,00,000/-ની મહત્તમ મર્યાદામાં જૂથલોન પણ રાષ્ટ્રીયકૃત બેંક મારફત મળવાપાત્ર છે.

આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ, બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકારશ્રી પુરસ્કૃત આયોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષથી 7 વર્ષ રહેશે.

જરૂરીપ્રમાણપત્રો:- પાસપોર્ટફોટોગ્રાફ -2,ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, સ્કુલલીવીંગ/જન્મનોદાખલો, મકાનવેરાબિલ ડ્રાઈવિંગલાયસન્સ (વાહનલોનમાટે), લાઈટબિલ, ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી /સહમતીપત્રક, ક્વોટેશન ઓરિજિનલ, બેંક ખાતાની પાસ બુકની  નકલ જરૂરી રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકરભવન  રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમમાળ ખાતે સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.