મોરબીમાં ખાવાનું માંગવા જેવી નજીવી બાબતે આધેડને છરીના ઘા ઝીકી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના શાંન્તિનગર, થાના ચટીયા ખાતે રહેતા રમેશકુમાર ખુર્રમ યોગી નામના આધેડ મજુરી અર્થે મોરબી આવેલ હોય અને કોઇ કામ ધંધો નહી મળતા રેલ્વે સ્ટેશન રોડ તરફ વીસીફાટક નજીક છેલ્લી ઇંડાની લારી પાસે બેઠેલ એક બહેન પાસે ખાવાનુ માંગતા જેથી બહેને ખાવા દેવાની આનાકાની કરી છણકો કરતા ફરીયાદીએ તે બહેનને આ રીતે નહી કરવા કહેતા તે બહેનની બાજુમાં બેઠેલ અજાણ્યો માણસ જે એકદમ ઉશ્કેરાઇ જઇ ઉભો થઇ ફરીયાદી પાસે ગયેલ અને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદી આધેડને મારી નાખવાના ઇરાદે પેટના ભાગે છરીનો એક ઘા મારી દઇ ગંભીર જીવલેણ ઇજા કરી આંતરડા બહાર નીકળી જતા અજાણ્યો માણસ નાસી છૂટ્યો હતો. જે સમગ્ર મામલે ભોગ બનનાર રમેશકુમાર ખુર્રમ યોગીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન