આમ તો દુનિયામાં એવા ઘણાબધા મંદિરો છે જે પોતાની કળાકારી માટે પ્રખ્યાત છે પરંતુ આજે એક એવા મંદિર અંગે ચર્ચા કરીશું જે બીયરની બોટલોથી બનાવેલું છે. ભગવાન બુદ્ધનું આ મંદિર થાઈલેંડમાં બન્યું છે. તેનું નિર્માણ બૌદ્ધ ભિક્ષુકો દ્વારા થયેલું છે. એક અનોખા મંદિરને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. થાઈલેંડના સિસ્કેટ પ્રાંતના બૌદ્ધ ભિક્ષુકોએ 10-15 લાખ બોટલોનો ઉપયોગ કરીને ‘Wat Pa Maha Chedi Kaew’નામક આ મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદિરની સ્થાપના વર્ષ 1984માં કરાઈ હતી. તેનો દરેક ખૂણો લીલી અને ભૂરા રંગની બોટલોથી બનાવાયો છે. આ મંદિરને જોઈને એ સાબિત થઈ જાય છે કે બેકાર પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સુંદર ઈમારત બનાવી શકાય છે. આ મંદિરના બાથરુમથી લઈને સ્મશાન સુધીને પણ બિયરની બોટલો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. બીયરની બોટલોથી બનેલું આ મંદિર થાઈલેંડનો એક વિખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે.
Trending
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો