Abtak Media Google News
  • ‘સ્વાગત’ કાર્યક્રમ આગામી ગુરૂવાર તા. ૨૨ ફેબ્રુઆરીએ યોજાશે નહીં

ગુજરાત સમાચાર : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારો જન ફરિયાદ નિવારણનો રાજ્ય ‘સ્વાગત’ આગામી તા. ૨૨ ફેબ્રુઆરીએ યોજાશે નહીં. પ્રજાજનોની રજૂઆતો અને તેના નિવારણ માટે ટેકનોલોજીના વિનિયોગથી દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ જે આગામી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવાનો હતો . તે આ ગુરૂવારે અનિવાર્ય કારણોસર યોજાશે નહીં.સૌ સંબંધ કર્તાઓને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.