Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર નજીક ઢીંચડામાં રહેતી ૧૯ વર્ષ ની અપરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાને પ્રાઇવેટ નોકરી કરવી હતી, પરંતુ ઘરના સભ્યોએ ના પાડતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકથી ઢીંચડા માં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઈ કટેશીયા નામની ૧૯ વર્ષની અપરણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતીને પ્રાઇવેટ નોકરી કરવી હતી, પરંતુ ઘરના સભ્યોએ ના પાડી હતી, અને જો નોકરી મળે તો સરકારી નોકરી જ કરવાની, તેવો આગ્રહ રાખ્યો હતો. તેથી તેણી ને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધા નું જાહેર થયું છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.