Abtak Media Google News
  • અકાળે મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો
  • યુવાને ગળાફાંસો ખાઇ મોતની સોડ તાણી

જામનગર સમાચાર : જામનગરમાં અકાળે મોતનો વધુ એક કિસ્સો સામેં આવ્યો છે. જેમાં હાપા નજીક રંગમતી આવાસમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ મોતની સોડ તાણી લેતા અરેરાટી મચી છે. પ્રાથમિક તપાસમાં એવુ સાંમેં આવ્યું કે પોતાની સીસામણે ચાલી જતા પત્નીના વિયોગમાં જિંદગીથી કંટાળી જઈ યુવાને આપઘાત કરી લીધો છે.આ મામલે સ્થાનિક પોલીસે દોડી જઇ મોત મામલે નોંધ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પોલીસ મથકે નોંધાયેલી વિગત ઍવી છે કે જામનગરના હાપા સ્થિત રંગમતી આવાસ ના બ્લોક નંબર ૭૦૫ માં સાતમા માળે રહેતા સંજય દેવશીભાઈ પરમાર (ઉ.વ.22) એ ગઈકાલે પોતાના ઘેર પંખામાં ચૂંદળી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. ગેરેજ કામ સાથે સંકળાયેલ યુવાનના આપઘાતને લઈ પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

હાલ આ ઘટના મામલે મૃતકની બહેન રેખાબેન દેવશીભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં પંચ કોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની પત્ની છેલ્લા દસેક દિવસથી તેના માવતર રિસાઈને ચાલી ગઈ હતી, તેની પત્નીને માનનાવ છતાં તે ન માની આને પરત ન આવતા વિયોગમાં લાગી આવતા યુવાને આપઘાત કરી લીધાનું જાહેર થયું છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.