Abtak Media Google News

પ્ર.નગર પોલીસ સ્ટેશન દ્વારા ચાર કાર્યકરોની અટકાયત કરાઈ

રાજકોટમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ‘મોદી હટાવો’ દેશ બચાવો લખેલા બેનરો લગાવવામાં આવ્યા હતા આ ઘટનામાં પોલીસ દ્વારા ચાર વ્યકિતઓ સામે ગુનો  દાખલ કરી અટકાયત કરવામાં આવી છે. શહેરના અલગ અલગ  રાજમાર્ગો પર ‘આપ’ના કાર્યકરો દ્વારા મોદી હટાવો દેશ બચાવોના બેનરો લગાવવામાં આવ્યા હતા. જે અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર ચિરાગગીરી ગૌસ્વામી, કમલેશ ચાહાણ, પ્રણય ગઢવી અને   હિતેશ મેઘજીભાઈ સામે ગુનો દાખલ કરી પીઆઈ એમ.જી.વસાવા અને પીએસઆઈ એ.એ. ખોખરની ટીમ દ્વારા ચારેયની રાતે જ અટકાયત કરી લેવામાં આવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.